Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

છોકરા સાથે ફોનમાં વાત કરતી હોઇ ઠપકાના ભયથી સળગેલી રીનાનું મોત

નવાગામમાં મુળ યુપીની યુવતિએ ૨૬/૧ના અગ્નિસ્નાન કર્યુ હતું: સારવારમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૪: નવાગામ દેવનગરના ઢોળા પર રહેતી રીના ચંદ્રમણીભાઇ જૈસ્વાલ (ઉ.૧૯) નામની મુળ ઉત્તર પ્રદેશની યુવતિએ તા. ૨૬/૧ના રોજ અગ્નિસ્નાન કરી લીધુ હતું. તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

આપઘાત કરનાર રીના બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. તેના પિતા ચંદ્રમણીભાઇ કારખાનામાં કામ કરે છે. માતાનું નામ સરસ્વતીબેન છે. રીના કોઇ છોકરા સાથે મોબાઇલ ફોનમાં વાત કરતી હતી. આ બાબતે પરિવારજનોને ખબર પડી જતાં પોતાને ઠપકો મળશે તેવા ભયથી તેણીએ ૨૬મીએ અગ્નિસ્નાન કરી લીધું હતું. લાંબી સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. કુવાડવાના હેડકોન્સ. કે. સી. સોઢાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:11 pm IST)