Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ સંપન્નઃ૩૧૮ દર્દીઓએ લાભ લીધો

રાજકોટ : ઠક્કર ચત્રભુજભાઈ વલ્લભદાસ ગોંધીયા (લંડન), હસ્તે. દ્વારકાદાસભાઈ ગોંધીયા તથા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા રાજકોટ શહેર તથા જીલ્લાને આંખના મોતીયા વિહીન કરવા શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન કરેલ હતું. જેમાં ૩૧૮ દર્દીઓએ આંખના મોતીયાના સફળ ઓપરેશન દ્વારા દ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં ફેકો મશીન દ્વારા ટાંકા વગર મોતીયાના ઓપરેશન નેત્રમણી સાથે વિનામુલ્યે કરવામાં આવ્યા હતા. તેમજ રહેવા-જમવાી તથા દવા-ટીપા જેવી સગવડો વિનામુલ્યે પૂરી પાડેલ હતી. તેમજ ૧૭મા સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન પણ તાજેતરમાં કરેલ હતું તેમાં ૨૮૩ દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા તેમ એક યાદીમાં જણાવાયું છે.

(5:07 pm IST)