Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

એ માસુમ પુત્રી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા નરપીશાચ હત્યારાને કડક સજા કરોઃ ભીલ સમાજ

રાજકોટઃ મજુરી કરવા આવેલ આદિવાસી ભીલ પરિવારની માસુમ પુત્રી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરનાર હત્યારા સામે સર્વત્ર ફીટકાર વરસાવી રહ્યો છ.ે ત્યારે રાજકોટ ભીલ સમાજ પરિવારના યુવાનોએ પોલીસ કમિશનરશ્રીને આવેદન પત્ર પાઠવી અને આ નરપીશાચ હત્યારાને ઝડપી તેને કડકમાં કડક સજા કરવા માંગ ઉઠાવી છે. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે મુળ જાંબુવા પંથકના દિનેશભાઇ ભાંભોર છેલ્લા થોડા સમયથી રાજકોટ ખાતે મજુરી કામ કરવા આવેલ તેમની પુત્રી દિવ્યા (ઉ.૩)નું ચુનારાવાડ ચોક નજીકના વોંકળા પાસેથી અપહરણ કરી લઇ જઇ અને આ માસુમ દિવ્યા પર દુષ્કર્મ ગુજરાતી તેની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખેલ છે. સમાજના છેલ્લા તબકકાના આદીવાસી મજુર વર્ગ પર અવાર-નવાર આવા બનાવો બની રહ્યા છે. ત્યારે  બાબતે આ બદકામના આરોપી અને વિકૃત માનસ ધરાવતો હિંસક વરૂ જેવો શખ્સ જે સમાજ માટે પણ એક મોટુ દુષણ હોઇ બીજી અન્ય કોઇ બેન-દીકરીઓની જીંદગી બરબાદ ન કરે તે માટે તેને તાત્કાલીક કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. અને અન્ય કોઇ વ્યીકત આવુ કૃત્ય કરતા પહેલા સાત વખત વિચારે એ પ્રકારના જાહેર પગલા ભરી આરોપીને સત્વરે સજા આપવામાં આવે તેવી માંગે છ.ે તસ્વીરમાં રજુઆતમાં જોડાયેલ ભીલ સમાજના યુવા કાર્યકરો દર્શાય છે

(5:00 pm IST)