Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ગાંધીનગરથી વિજયભાઇ રૂપાણી દ્વારા 'કરૂણા અભિયાન ૨૦૨૧'નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાશે

રાજકોટ તા. ૧૩ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે તા. ૧૩ જાન્યુઆરીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરૂણા અભિયાન ૨૦૨૧નું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન ગાંધીનગરથી કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પક્ષીઓની સારવારનું નિરીક્ષણ અને પશુ ચિકિત્સકો સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત કરૂણા અભિયાનમાં સહભાગી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો સાથે પણ ચર્ચા કરશે.

રાજય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તા. ૧૧ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન રાજય વ્યાપી કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

(11:54 am IST)