Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

ભકિતનગરના પોલીસમેન દિપકભાઇ ચોૈહાણનું મૃત્યુઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૫: ભકિતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઇ શામજીભાઇ ચોૈહાણ (ઉ.૪૧)નું સંક્રાંતીની આગલી સાંજે મૃત્યુ નિપજતાં પરિવારજનો અને સાથી પોલીસ કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.

રોહિદાસપરામાં રહેતાં દિપકભાઇ ચોૈહાણ અગાઉ એ-ડિવીઝનમાં ફરજ બજાવતાં હતાં. છેલ્લે ભકિતનગર પોલીસ મથકમાં તેની બદલી થઇ હતી. ઘણા સમયથી તે બિમાર રહેતાં હતાં. સોમવારે સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃત્યુ પામનારના પિતા શામજીભાઇ ચોૈહાણ પણ અગાઉ પોલીસ કમિશનર કચેરીમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતાં હતાં. સંક્રાંતની સવારે દિપકભાઇની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્વજનો, પોલીસ કર્મચારીઓ જોડાયા હતાં.

(1:32 pm IST)