Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

બાપાજીની સૌરાષ્ટ્ર ધર્મયાત્રા

 શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુર થી પધારેલ પૂજય ગુરૂદેવશ્રી રાકેશભાઈ બાપાજી ની સૌરાષ્ટ્ર ધર્મયાત્રા ખુબજ ધર્મદાયક રહી. પૂજય ગુરૂદેવશ્રી એ ભાવિકોને શ્રેષ્ઠ પ્રવચન દ્વારા ધર્મ નો મર્મ સમજાવ્યો. સાયલા સુરેન્દ્રનગર બોટાદ જામનગર અને દ્વારકા આદિ સ્થળોએ ધર્મપ્રભાવના નો મેહ વરસાવ્યો. આ સૌરાષ્ટ્ર ધર્મયાત્રા ની સીડી ના વિમોચન પ્રસંગે યોગી સભા ગૃહ - દાદર - મુંબઈ ખાતે સુરેન્દ્રનગર થી શ્રી રાજ પરિવાર અને સુરેન્દ્રનગર સ્પીરીચ્યુઅલ સેન્ટર ના કોર મેમ્બર ધર્મેન્દ્રભાઈ સંઘવી, દેવાંગભાઈ દોશી, શૈલેષભાઈ સંઘવી, જીમીત કોઠારી, મીનાબેન સંઘવી, તથા જીજ્ઞાબેન દોશી વગેરે હાજર રહેલ. પ્રાસંગિક પ્રવચન બાદ પૂજય ગુરૂદેવશ્રી એ સુરેન્દ્રનગર ના સૌ મુમુક્ષુઓને આશીર્વાદ પાઠવેલ તથા જીવન ધર્મમય બનાવવા ઉપદેશ આપેલ.

(3:33 pm IST)