Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ફરી ફેરવ્યો : હવે ૧૬ ડીસેમ્બરથી

મતદાર વેરીફીકેશન અને મતદાન મથક રીવીઝન ૩૦ નવે.સૂધી લંબાવ્યું

રાજકોટ તા. ૧૩ : ભારતના ચૂંટણી પંચે હાલ રાજકોટ-ગુજરાતમાં ચાલી રહેલ મતદાર વેરીફીકેશન અને મતદાન મથક રીવીઝન કાર્યક્રમ હવે ૩૦ નવે. સૂધી લંબાવતા, પોતાના મતદાર યાદી સૂધારણા કાર્યક્રમમાં વધૂ એક વખત ફેરફાર કર્યો છે.

નવા સૂધારેલા કાર્યક્રમમાં ૧૬મી ડીસેમ્બરે મતદાર યાદીની પ્રાથમીક પ્રસિદ્ધિ થશે.૧૬ ડિસેમ્બરથી ૧પ જાન્યુઆરી સુધી લોકો પોતાના નામ ઉમેરવા, કમી, સૂધારણા ફોર્મ ભરી શકશે. અને ત્યારબાદ ચકાસણી પુરી થયે, હવે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ૭ ફેબ્રુઆરી ર૦ર૦માં થશે, આ મતલબની સૂચના દરેક કલેકટરને અપાઇ છે.

(3:46 pm IST)