Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કુવાડવા રોડ ખાતે કાલે મહાઆરતી-મહાપ્રસાદ-રકતદાન કેમ્પઃ ફંડફાળા વગરનું આયોજન

ઓન્લી શ્રી રઘુવંશી યુવા વોર્ડ નં.૪-૫-૬ દ્વારા

 રાજકોટઃ તા.૧૩, ઓન્લી શ્રી રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં. ૪-૫-૬ દ્વારા આવતીકાલે જલારામ જયંતિ નિમિતે મહાઆરતી, મહાપ્રસાદ સાથે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છેે.

 કુવાડવા રોડ ઉપર પટેલનગર પાસે જનતા રાજાણી ટ્રાન્સપોર્ટના પટાંગણમાં કાલે સાંજે ૭:૧૫ કલાકે મહાઆરતી બાદ ૭:૩૦ વાગ્યાથી મહાપ્રસાદ શરૂ થશે. સાથો સાથ સાંજે ૬ થી ૧૦ સુધી રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સર્વેશ્રી રાઘવજીભાઇ રાજાણી, રાકેશભાઇ પોપટ, ભીખાલાલ પાંઉ, ધર્મેન્દ્રભાઇ ચંદારાણા ઉપસ્થિત રહેશે. ફંડફાળા વગરના આ આયોજનમાં આશરે ૮ થી ૧૦ હજાર ભાવિકો બુંદી, ગાંઠીયા, કઢી ખીચડી, સંભારો, છાસનો પ્રસાદ માણશે. આ તકે ૧૦૦ થી વધુ વસ્તુઓનો અન્નકોટ ધરવામાં આવશે.

 આયોજન ઓનલી શ્રી રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૪-૫-૬ ના કાર્યકરો સર્વેશ્રી પરેશભાઇ પોપટ, મહેશભાઇ ભુપતાણી, મયુરભાઇ સેજપાલ, હસુભાઇ ચાંદરાણી, ભરતભાઇ ઠકકર, વિશાલભાઇ પાબારી, ભરતભાઇ બલદેવ, ગોપાલભાઇ હિંડોચા જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:37 pm IST)