Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

થાનમાં કોળી પરિણીતા રેખાબેન પનારા દાઝીઃ રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૧૩: થાનગઢના નવાગામ રોડ પર રવિનગરમાં રહેતી રેખાબેન મુકેશ પનારા (ઉ.૨૭) નામની કોળી પરિણીતા દાઝી જતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

રેખાબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ મુકેશ બચુભાઇ પનારા કારખાનામાં કામ કરે છે, રેખાબેન પોતે પણ પતિ સાથે કામ કરવા જાય છે. તેણીએ જણાવ્યું હતું કે તે ચુલામાં લાકડા નાંખી રસોઇ બનાવી રહી હતી ત્યારે વધુ કેરોસીન પડી જતાં અચાનક ભડકો થતાં લપેટમાં આવી ગઇ હતી. તેના માવતર પણ થાનગઢમાં રહે છે. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે થાન પોલીસને જાણ કરી હતી.

(11:50 am IST)