Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

એડવોકેટ દિલીપભાઇ પટેલના માતુશ્રીના અવસાન સંદર્ભે પરિવારને મુખ્યમંત્રીની સાંત્વના

પટેલ પરિવારના દુઃખમાં ભાગીદાર બનતા મુખ્યમંત્રી કર્ણાટકના રાજયપાલે પણ પટેલ પરિવારને દિલાશો પાઠવ્યો

રાજકોટ તા. ૧૩: બાર કાઉન્સીલના પુર્વ ચેરમેન અને ઇન્ડિયાના મેમ્બર જાણીતા ધારાશાસ્ત્રી દીલીપ પટેલના સ્વ. માતૃશ્રી વસંતબેનનું દુઃખદ અવશાન થયેલ હોય પરીવારના સભ્યોના દુઃખમાં ભાગીદાર થવા માટે ભા.જ.પા.ના કાર્યકર દીલીપ પટેલના નિવાસસ્થાને તેમને દીલાસો આપવા માટે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના ધર્મપત્ની અંજલીબેન દીવાળીના પર્વ હોવા છતાં તેમના ઘરે જઇ અને પરીવારના મોભી કાનજીભાઇ પટેલ તથા પરીવારને સાંત્વના અને દીલાસો પાઠવી સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલી પાઠવેલ હતી. કર્ણાટકના ગવર્નર શ્રી વજુભાઇ વાળા એ પણ ફોન ઉપર પટેલ પરીવારને દીલાસો આપી સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલી આપેલ હતી.

આ સાથે સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, ભા.જ.પા. પ્રમુખ કમલેશ મીરાણી, ભારત સરકાર લો કમિશનના મેમ્બર અભય ભારદ્વાજ, રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પુર્વ ભા.જ.પા. પ્રમુખ નીતીનભાઇ ભારદ્વાજ, ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી પી. જી. ગોકાણી, યાત્રા વિકાસ ધામના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, કોર્પોરેટરો, જયમીનભાઇ ઠાકર, બાબુભાઇ આહીર, રસીક બદુકીયા, રાજેન્દ્રસિંહ ગોહીલ સહિતના આગેવાનોએ પણ સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલી આપેલ હતી.

પટેલ પરીવારના કાનજીભાઇ પટેલ, શૈલેષભાઇ પટેલ, દીલીપ પટેલ, સંકેત પટેલ, સૌમીલ પટેલ, ભારતીબેન પટેલ, ભાનુબેન પટેલ, હીરેનભાઇ સોજીત્રા, રીપલ પટેલ, દીશા પટેલ, દીવ્યા સંકેત પટેલ સહીતના પરીવારજનોને સ્વર્ગસ્થના કુટુંબ ઉપર આવી પડેલ આપતી અને કપરા સમયને સહન કરવાની શકિત આપે આત્માને ચિર શાન્તી આપે તેવી અભ્યાર્થના કરેલ હતી.

(10:46 am IST)