Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ચાલો સહિયર જઇએ... ચાચર ચોકમાં રે લોલ...

રાજકોટ : શહેરના ન્યુ રાજદિપ સોસાયટી શેરી નં. ૩ કષ્ટભંજન મંદિર પાસે છેલ્લા ૨૧ વર્ષથી શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આસો નવરાત્રીનું ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. ગરબી મંડળની બાળાઓ અવનવા રાસની રમઝટ બોલાવે છે. જેને નિહાળવા ભાવિકો ઉમટે છે. ગરબી મંડળના યાદગાર આયોજનમાં રશ્મીબેન દોશી, કાજલબેન જારીયા, વર્ષાબેન ભંડેરી, અર્ચનાબેન જારીયા, વિનુભાઇ જારીયા, કાંતિભાઇ ભંડેરી, દિગુભા જાડેજા,  સુરૂભા જાડેજા (આરટીઓ), પ્રકાશભાઇ સોલંકી (આરટીઓ) સહિતના સેવા બજાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં ગરબે ઘૂમતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરિયા)

(3:15 pm IST)