Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

નવરાત્રીમાં હવનાષ્ટમીની ઉજવણીઃ કાલે છેલ્લુ નોરતુઃ શુક્રવારે દશેરા

કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બાળાઓને પ્રાચીન ગરબીમાં લ્હાણીનું વિતરણ કરાશે

રાજકોટ તા. ૧૩ :.. નવલા નોરતા હવે અંતિમ ચરણમાં છે. આજે આઠમા નોરતે હવનાષ્ટમીની ઉજવણી ભાવિકો દ્વારા કરવામાં આવી રહી છે.

કાલે તા. ૧૪ ને ગુરૂવારે નવમુ નોરતુ છે. કાલે છેલ્લા નોરતે પ્રાચીન ગરબીઓમાં બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવશે.જયારે તા. ૧પ ને શુક્રવારે દશેરાની ઉજવણી કરવામાં આવશે. લોકો અવનવી મિઠાઇનો આનંદ માણશે. તથા સાંજના સમયે રાવણ દહન કરવામાં આવશે.

(3:10 pm IST)