Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગાયકવાડીમાં માનસીક બીમારીથી કંટાળી રાણીબેન આહુજાનો આપઘાત

પુત્ર ઘરે આવ્યો ત્યારે માતાને લટકતા જોઇ દેકારો મચાવ્યો

રાજકોટ તા. ૧૩ : જંકશન પ્લોટ ગાયકવાડીમાં રહેતી મહિલાએ માનસીક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે.

મળતી વિગત મુજબ ગાયકવાડી શેરી નં.રમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેતા રાણીબેન વિરૂભાઇ આહુજા (નેપાળી) (ઉ.૩૦) એ રાત્રે પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

પુત્ર  ઘરે આવતા માતાને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી ચીરાગભાઇએ તપાસ કરતા મહિલાનુ઼ મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા પ્રનગર પોલીસ મથકના એ. એસ. આઇ.કનુભાઇ તથા રાઇટર રામજીભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.મૃતક રાણીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણે માનસીક બીમારીથી કંટાળી પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું છે.

(3:06 pm IST)