Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

વોર્ડ નં.૧૧-૧૪-૧૬માં સેવાસેતુ કાર્યક્રમ યોજાયોઃ ૧૪૦૦ અરજીનો નિકાલ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-૧૧, ૧૪ તથા ૧૬માં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.  ત્રણેય ઝોનમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં કુલ ૧૪૦૦ અરજીઓનો નિકાલ થયો હતો. વોર્ડ નં-૧૧માં સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, રાજકોટ શહેર મહામંત્રી દેવાંગભાઈ માંકડ, પુર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, પુર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પ્રભારી અશ્વિનભાઈ પાંભર, પ્રમુખ પ્રવીણભાઈ પાઘડાર, મહામંત્રી આયાદાનભાઈ બોરીચા, સંજયભાઈ દવે, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જયારે વોર્ડ નં.૧૪માં મહામંત્રી જીતુભાઈ કોઠારી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પ્રભારી નિલેશભાઈ જલુ, પ્રમુખ અનીષભાઈ જોષી, મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, પવનભાઈ સુતરિયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તથા ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પ્રભારી ભુપતભાઈ બોદર, જીણાભાઇ ચાવડા, પ્રમુખ સુરેશભાઈ વસોયા, મહામંત્રી હિરેનભાઈ ગૌસ્વામી, ભાર્ગવભાઈ મ્યાત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.૧૦)

(4:04 pm IST)