Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

૨૩મીએ સમસ્ત લુહાર સમાજના નિઃશુલ્ક રાસોત્સવ

ચાર હજાર ખેલૈયાઓ ઝૂમશે : સમસ્ત પીઠવા પરિવારનું આયોજન : સેવા - સહકાર - સંગઠનનો ધ્યેય

રાજકોટ, તા. ૧૨ : પીઠવા પરિવાર - રાજકોટ દ્વારા સમસ્ત લુહાર સમાજ માટે આગામી તા.૨૩ના મંગળવારે રોયલ રજવાડી (નાના મૌવા રોડ, સીઝન-૩ રેસ્ટોરન્ટ સામે) એક દિવસીય દાંડીયારાસનું આયોજન કરવામાં આવેલ છે.

દોઢ લાખ વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સ સાથે ગાયકો હેમંત જોષી અને રીયાઝ ખેલૈયાઓને રાસે ઝુમાવશે.

ઉલ્લેખનીય છે કે સમસ્ત પીઠવા પરિવાર શિક્ષણને લગતી તેમજ મુખ્ય ધ્યેય સમસ્ત પીઠવા પરિવારનો એકત્રીત કરવાનો છે. આગામી સમયમાં ડીરેકટરી પણ પ્રસિદ્ધ કરવાનો છે. તાજેતરમાં કસુંબી રંગનું પણ આયોજન કરવામાં આવેલ.

ખેલૈયાઓએ ફ્રી પાસ મેળવવા માટે તા.૧૨, ૧૩ શુક્રવાર અને શનિવારે બપોરે ૨ થી ૬ તેમજ તા.૧૪ને રવિવારે ૧૦ થી ૬ સુધી મિતલ ઈન્ડસ્ટ્રીઝ, પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાસે, ઓવરબ્રીજ નીચે, ગોંડલ રોડનો સંપર્ક કરવો.

આયોજનને સફળ બનાવવા સર્વેશ્રી નરેન્દ્રભાઈ એલ. પીઠવા, જયેશભાઈ ટી. પીઠવા, વિજયભાઈ આર. પીઠવા, પ્રકાશચંદ્ર સી. પીઠવા, ભરતભાઈ એલ. પીઠવા, મહેશભાઈ ડી. પીઠવા, ઉમેશભાઈ ડી. પીઠવા, વિમલભાઈ એસ. પીઠવા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો.૯૯૦૪૯ ૫૮૩૨૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૪)

(4:00 pm IST)