Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ભુલકાઓ દ્વારા રાસની રમઝટ

બાલભવન દ્વારા ૫ થી ૧૬ વર્ષ સુધીના બાળકો માટે અર્વાચીન દાંડીયારાસનો નવરાત્રી મહોત્સવ ઉજવાઇ રહયો છે. સાઝ ઔર આવાજ ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે બાળકો ધુમ મચાવે છે. કુલ ૫૫ બાળકોને ઇનામોથી નવાઝવામાં આવ્યા. વિજેતા બાળકોને મુખ્યમહેમાનો જિલ્લા રમતગમત અધિકારીશ્રી વી.બી. જાડેજા, મદદનીશ ચેરીટી કમિશ્નરશ્રી બી.એચ. હુણ, બકુલભાઇ નથવાણી, કાશ્મીરાબેન નથવાણી, હસ્તે ઇનામો આપી નવાઝવામાં આવ્યા તથા નિર્ણાયક તરીકે હર્ષિદાબેન માઢક, મૌલિકાબેન નકરાણી, કૃપાબેન નથવાણી તથા અમીતાબેન રાવલે સેવા આપી . (૪૦.૧૦)

(3:52 pm IST)