Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

નવરાત્રીમાં આઇના સામૈયા

 આજી વસાહત ખોડિયાર નગરમાં મુરલિધર ગ્રુપ દ્વારા રૂમઝુમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. બાળાઓ દ્વારા પ્રાચીન રાસ-ગરબા રજુ કરવામાં આવે છે. રણની રવેચી મા મોગલનો નાગ વાળો રાસ, રાધા ઘેલો કાન વગેરે રાસ રજુ કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના અધ્યક્ષ દિનેશ મકવાણા, અજય ચુડાસમા, સંજય ઓળકિયા, હિતેશ રાઠોડ, જયેશ મકવાણા, પ્રતાપ ડેડા, હસમુખ સરિયા, સચિન બોરિચા, દિવ્યરાજ ધાધલ, જીજ્ઞેશ ધોબાહ, અમર ધોબાહ, ઘનશ્યામ ડાંગર અને હર્ષરાજ ધાધલ એ જહેમત ઉઠાવી રહ્યા છે. (૭.૩પ)

 

(3:51 pm IST)