Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સદગુરુ આશ્રમમાં કુંભમેળા જેવો માહોલ

 સદગુરુ સદન ટ્રસ્ટ (પ.પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમ) દ્વારા શ્રી રામચરિત માનસ નવાહ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ પાઠ નિમિતે ભારતભરમાંથી નેપાળ, અયોધ્યા, અલ્લાહબાદ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ વિગેરે જગ્યાએથી ૫૦૦ થી ૭૦૦ સાધુ સંતની પાવન પધરામણી થઇ છે. શ્રી સદગુરુ આશ્રમ સાધુ સંતની હાજરી થી કુંભમેળો બની ગયો છે. ઉપસ્થિત સર્વે સંત ભગવાનને બાલભોગ, ભંડારો તથા ભોજન આપવામાં આવે છે. ઉપસ્થિત સર્વે સંતો રામાયણજીના પાઠ કરે છે. તસ્વીરમાં કુંભમેળા જેવા દ્રશ્યો નિહાળી શકાય છે.

(3:48 pm IST)