Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

હાટકેશજન રાજકોટ, નાગર્સ ઓફનોર્થ અમેરીકા અને રામ પરિવાર દ્વારા

૨૬મીએ પંચનાથ મંદિરે સામુહીત શાંતિયજ્ઞ

વિશ્વ સમસ્ત નાગર સમાજ યજમાન રહેેશેઃ દિવંગતોના સ્વજનોએ નામ નોંધાવી દેવા

રાજકોટઃ તા.૧૩, હાટકેશજન રાજકોટ, નાગર્સ ઓફ નોર્થ અમેરીકા અને રામ પરીવાર દ્વારા હોમાત્મક શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ વ્યાપક કોરોનાની મહામારીમાં નાગર સમાજે અનેક કુટુંબીનો, સ્વજનોની વિદાયનો આઘાત, ખાલીપો સહન કરવાની વિકટ સ્થિતિ આવી છે. કયાંક મૃતકના અંતિમસંસ્કાર નાગરી વિધીથી શકય નથી બન્યા તો અમુક સંજોગોમાં હોસ્પિટલ/ આરોગ્ય તંત્ર દ્વારા જ અંતિમસંસ્કાર   થયા છે. આ દુઃખદ પરિસ્થિતિને કારણે વિશ્વ સમસ્તમા જે કોઇ નાગર સ્વજનોએ વિદાય લીધી છે. તેમના પ્રત્યે આદરભાવ સાથે સામુહીક હોમાત્મક શાંતિયજ્ઞ પ્રસિધ્ધ શ્રી પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ ખાતે તા.૨૬ સપ્ટેેમ્બરના રવિવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ દરમિયાન યોજવામાં આવેલ છે. વિશ્વ સમસ્ત નાગર સમાજ યજમાન રહેશે.

કોરોનાના કપરા કાળમાં સ્વજન/ કુટુંબીજન કોઇપણ કારણસર વિદાય થયા હોય તો તેમનું નામ (૨) હયાત કુટુંબીજનનું નામ નંબર (૩) શહેર-દેશઃ આટલી માહિતી માત્ર વ્હોટસએપ ઉપર શ્રી હેમેન્દ્રભાઇ વસાવડા (૯૪૦૯૭ ૫૮૬૭૧, ૯૪૦૮૦ ૦૭૪૪૮) ને ૨૦ સપ્ટેમ્બર સુધીમાં નોંધાવી દેવા વિનંતી કરાઇ છે.

આ હોમાત્મક શાંતિ

(12:17 pm IST)