Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

વસુંધરા રેસીડેન્સીમાં ''વસુંધરા કા રાજા''નું આતશબાજી સાથે આગમન

રાજકોટઃ એરપોર્ટ રોડ પર વસુંધરા રેસીડેન્સીમાં ''વસુંધરા કા રાજા''નું સ્થાપન કરવામાં આવ્યું છે. આ સ્થળે દર વર્ષે ગણપતિ ઉત્સવનું આયોજન થાય છે આતશબાજી અને અબીલગુલાલની છોળો વચ્ચે દાદાની પ્રતિમાનું સામૈયુ કરીને સ્થાપન કરવામાંઆવ્યું હતું. અગિયાર દિવસનાં ઉત્સવમાં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ માટેવસુંધરા રેસીડેન્સીના દરેક પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:50 pm IST)