રાજકોટ, તા. ૧૨ : દર વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાતનાં સૌથી વિશાળ ગણપતિ મહોત્સવ 'રાજકોટ કા રાજા'નું આ વર્ષે પણ લીમડા ચોક, શાસ્ત્રીમેદાન ખાતે, મધુવન કલબ- રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેનો આ વર્ષે સાતમાં વર્ષમાં દબદબા ભેર પ્રવેશ થવા જઇ રહ્યો છે.
આજનો આ પુણ્ય પ્રારંભ અને સ્થાપનાનો પ્રથમ લાભ રાજકોટની તમામ સંસ્થા જેવી કે દરેક વૃદ્ઘાશ્રમ ના સભ્યો, દીકરાનું ઘર, કાઠીયાવાડ બાલાશ્રમના બાળકો, સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ, અંધજન કલ્યાણ મંડળ, અંધ અપંગ મંદબુદ્ઘિના બાળકો, હેન્ડીકેપ બાળકોના હસ્તે તેમજ ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, શ્રી ભૂપતભાઇ બોદર, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા નાં સભ્ય શ્રી દિલીપભાઇ પટેલનાં હસ્તે 'રાજકોટ કા રાજા'નાં ગણપતીજીનું મંત્રોચાર સાથે વિધિ વિધાન પૂર્વક પૂજન, અર્ચન, અને શંખનાદ સાથે સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ આમંત્રિત મહેમાનોના જ હસ્તે પરંપરા મુજબ ૧૦૮ ભાગ્યવિધાતા મહાઆરતી પણ કરવામાં આવશે અને ગુજરાતની ભાવિક જનતા માટે 'રાજકોટ ક રાજા' લોક દરબાર
નાં દર્શન ખુલ્લા મૂકવામાં આવશે.
ત્યારબાદ 'રાજકોટ કા રાજા' નાં મુખ્ય આયોજકો એવા શ્રી આશિષભાઈ વગડિયા, રાજભા ઝાલા, રાજુભાઇ કીકાણી, મહેશભાઇ જરીયા, તેમજ સની જરિયા દ્વારા આમંત્રિત સંસ્થાઓ જેમકે વૃદ્ઘાશ્રમના સભ્યો, દીકરાનું ઘર, કાઠીયાવાડ બાલાશ્રમના બાળકો, સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ, અંધજન કલ્યાણ મંડળ, અંધ અપંગ મંદબુદ્ઘિના બાળકો, હેંડિકેપ બાળકો વગેરે ને ભોજન કરાવવામાં આવશે. અને સર્વે આમંત્રિત સંસ્થાના સભ્યો કલાઘેલા-બહેરા મૂંગા- અંધ અપંગ –બાળકોને તેમજ વડીલોને ડી.જે. નાં તાલે ગરબે જુમાવવામાં આવશે.
'રાજકોટ કા રાજા' નાં ગણપતીજીની આ વર્ષની મૂર્તિની વિશેષતા એ છે કે આ વર્ષે ફેમસ 'લાલબાગ ચા રાજા' સ્ટાઇલ રજવાડી ઠાઠ-માઠ થી મુર્તિને સુશોભિત કરવામાં આવેલ છે, આ મુર્તિ ૨૧ ફૂટ ઊચી અને ૧૪ ફૂટ પહોળી બનાવવામાં આવેલી છે. વિશાળ ૮૦*૪૦ નાં ડોમમાં ગણપતીજીની સ્થાપના કરવામાં આવશે. તેમજ દર વર્ષ ની માફક પર્યાવરણને ધ્યાનમાં રાખી ને આ વર્ષે પણ ઇકો-ફ્રેંડલી જ મુર્તિ બનાંવવામાં આવી છે. ૨૫૦૦૦ થી પણ વધારે ડાયમંડનાં શણગારથી 'રાજકોટ ક રાજા' ની પ્રતિમા ઝળહળી ઉઠશે તેમજ સાથે રિદ્ઘિ-સિદ્ઘિ માતાજી પ્રતિમા સહિત મૂષક સવારી ઉપર શ્રી ગણેશજીની ભવ્ય જાજરમાન મુર્તિનું સ્થાપન કરવામાં આવનાર છે.
વિશેષમાં આ વર્ષે એન્ટ્રી ગેઇટને સ્પેશિયલ રાજસ્થાની કારીગરો દ્વારા રાજસ્થાની રજવાડી એન્ટ્રી ગેઇટ નો લુક આપી તેમજ ભવ્ય ૧૦૦ ફૂટ લાંબી ચોલથી ખૂબ જ શુશોભિત બનાવવામાં આવેલ છે, જેથી દર્શનાર્થીઓને વિશાળ ભવ્ય રાજમહેલની અનુભૂતિ પણ થશે. ઉપરાંત સંપૂર્ણ ગ્રાઉન્ડને બેંગોલી લાઈટીંગ થી વિશેષ કલકતા સ્ટાઇલ ભરપૂર રોશનીનો શળગાર કરવામાં આવેલ છેા સાથોસાથ સિનિયર સિટીઝનો બેસી શકે તે માટે ૪૦૦૦ ખુરશી તેમજ ૧૨૦૦૦ ભારતીય બેઠક દ્વારા સુંદર રોજબરોજ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની વણઝાર રાખવામા આવેલ છે જેમકે શિવ તાંડવ, આદિવાસી ભીલ નૃત્ય, શ્રીનાથજી ઝાંખી, ૫૬ ભોગ દર્શન, સાંસ્ક્રુતિક નૃત્ય સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, આરતી થાળી સુશોભન સ્પર્ધા, ગણપતિ સંધ્યા, બાળકો તેમજ યુવાઓ માટે ડાંસ કોંપીટીશન, દાંડિયારાસ ફકત બહેનો માટે, ઉપરાંત રાજકોટની ભાવિક જનતા માટે સ્પેશિયલ 'અમરનાથ યાત્રા દર્શન' જેમાં ૩૪૦ ફૂટ લાંબી ગુફા બનાવવામાં આવે છે, ૫૫૧ થી વધુ બરફની લાદી પાથરવામાં આવશે અને માઇનસ ડિગ્રી તાપમાન સાથે બર્ફીલીયાત્રા અને અમરનાથબાબા નાં દર્શન કરાવવામાં આવશે. અને બીજા દિવસે ભષ્મેસ્વર યાત્રા કરાવવામાં આવે છે જેમાં ૩૪૦ ફૂટ લાંબી ગુફા ભૂત તથા જંગલના માહોલ સાથે ભાવિકોને ભ્ષ્મેસ્વર દાદા નાં દર્શન કરાવવામાં આવે છે. તેમજ વિધિ વિધાન પૂર્વક ગણપતિ દાદાનું વિષર્જન પણ કરવામાં આવશે.
આ આયોજન ને સફળ બનાવવા અલગ અલગ કમીટી બનાવાઈ છે. જે આ મુજબ છે. મંડપ સમિતિ – રાજભા ઝાલા, પ્રચાર સમિતિ – રાજુભાઇ કીકાણી, સ્ટેજ સમિતિ – વિવેક વાગડિયા, દર્શન સમિતિ – અવિભાઈ મકવાણા, ભોજન સમિતિ –નિલેષ વાગડિયા, સિકયુરિટી સમિતિ –મહેશભાઇ જરિયા, પ્રેસ સમિતિ – રાજુભાઇ કીકાણી, પ્રસાદ સમિતિ – સાનિભાઇ જરિયા-વિમલભાઈ દવે, પાણી સમિતિ – નિતિન વાદ્યેલા, પાર્કિંગ સમિતિ – બલિભાઇ ભરવાડ, સંયુકત સમિતિ – વેદાંત પેંગ્યાતર, પુનિત વાગડિયા, દર્શન મૂલીયાના, નીરવ બુધદેવ, રવિ મેર, ગૌરાંગ મેર, લાલજીભાઇ ગાબુ, કુલદીપભાઈ સોલંકી, જીગ્નેશ શાહ વિગેરે સમિતિ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.
મધુવન કલબ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ 'રાજકોટ કા રાજા' સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ હોય જેમાં દર્શન કરવા સાથો સાથ દરરોજ ૧૦૮ ભાગ્યવિધાતા મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જેનો તમામ ભાવિકોને આયોજકો સર્વેશ્રી પ્રમુખ શ્રી આશિષભાઈ વગડિયા, રાજભા ઝાલા, રાજુભાઇ કીકાણી, મહેશભાઇ જરીયા, તેમજ સની જરિયા તેમજ સર્વે કમિટી મેમ્બરો દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૯)
આશિષ વાગડીયા
વોર્ડ નં.૧ના કોર્પોરેટર અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન, મો.૮૦૦૦૦ ૧૧૧૧૯