Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

આકાશવાણી રાજકોટ કેન્‍દ્રમાં આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી : તિરંગો લહેરાયો - રોશનીનો ઝગમગાટ

રાજકોટ : આઝાદી કા અમૃત મહોત્‍સવ  ‘હર ઘર તિરંગા' અભિયાનમાં આકાશવાણી રાજકોટ કેન્‍દ્ર પણ જોડાયું છે. રાજકોટના રેસકોર્ષ પાસે આવેલા આકાશવાણી રાજકોટ કેન્‍દ્રની ઇમારત ઉપર રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવવામાં આવ્‍યો છે. અને આઝાદી કા અમૃત મહોત્‍સવ, હર ઘર તિરંગાના બેનરો લગાવવામાં આવ્‍યા છે. આ ઉપરાંત ઇમારતમાં રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્‍યો છે. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ સૌજન્‍ય દેવાંગ મંકોડી-સુધીર દત્તા) 

(4:17 pm IST)