Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સ્‍વામીનારાયણ મંદિર-સરધારમાં તિરંગા રેલી : સંતો-વિદ્યાર્થીઓ જોડાયા

અત્‍યારે આખો  દેશ દેશભક્‍તિના રંગમાં રંગાયો છે ત્‍યારે  આઝાદીકા અમળત મહોત્‍સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં દરેક મંદિરો પણ સામેલ થયા છે. આ અભિયાનમાં જોડાઈને  યાત્રાધામ  શ્રી સ્‍વામિનારાયણ મંદિર સરધારમાં પણ પ. પૂ. સદ્‌ . સ્‍વામીશ્રી નિત્‍યસ્‍વરૂપદાસજીના પાવન સાંનિધ્‍યમાં બહોળા પ્રમાણમાં સંતો-હરિભક્‍તોના દ્વારા દરેક ભારતીયો શાન સમાન ઉત્‍સાહથી તિરંગાઓ  લહેરાવી દેશ પ્રેમ દાખવ્‍યો હતો. મંદિરમાં રહીને અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા તીરંગા રેલી કાઢી મંદિરની અટારીઓ, અગાસીઓ વગેરે સ્‍થાનોમાંથી તીરંગાઓ લહેરાવ્‍યા હતા. આ પ્રસંગે પૂ . સ્‍વામીશ્રી અભયદાન સત્‍સંગ સભામાં ત્રણ દિવસના આ અભિયાનમાં સૌ જોડાવા માટે આગ્રહ કર્યો હતો. આગામી ૧૫ ઓગસ્‍ટ પણ ધામધૂમપૂર્વક સરધારધામમાં ઉજવાશે. અનેક સમાજ શ્રેષ્ઠીઓ તેમજ રાજકીય મહાનુભાવો પણ હાજર રહેશે.

(3:56 pm IST)