Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે

ધીરગુરૃદેવની નિશ્રામાં કાલે જીવરક્ષા એમ્બ્યુલન્સ અર્પણ વિધી

રાજકોટ તા. ૧૩ :.. શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે  કાલે તા. ૧૪ ને રવિવારે સવારે ૯.૩૦ કલાકે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે ડુંગર દરબાર ખાતે હર ઘર - ખેતરમાં ત્રિરંગા અર્પણ વિધિ અને દાનવીર  અજયભાઇ શેઠ - મુંબઇના પ્રમુખપદે પ્રેરણા મેગેઝીન પ્રકાશીત નિર્ભયતા અને નીડરતા વિશેષાંકની વિમોચન વિધિ એવં શ્રી ભાણવડ મહાજન પાંજરાપોળને જીવરક્ષા એમ્બ્યુલન્સની લોકાર્પણ વિધી યોજાયેલ છે. આ પ્રસંગે મસ્કતના જાણીતા દાતા  અનિલભાઇ અને શોભાબેન વાઘર, હરેશભાઇ વોરા, ભુપેન્દ્રભાઇ સંઘાણી, મુકેશભાઇ સંઘવી વગેરે હાજરી આપશે.

(3:49 pm IST)