Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રજપૂત (ખવાસ) સમાજની વાડીને ૨૧ વર્ષ પૂર્ણઃ સોમવારે ટ્રસ્‍ટી- વિદ્યાર્થીઓનું સન્‍માન

શ્રી રજપૂત (ખવાસ) નૂતન યુવક મંડળ દ્વારા આયોજન

રાજકોટઃ અહિંના શ્રી દેશળ દેવ હોલ, ૧/૩ શ્‍યામનગર, નાના મવા રોડ ખાતે રજપૂત (ખવાસ) સમાજની વાડી આવેલ વાડીની સ્‍થાપનાને ૧૫ ઓગષ્‍ટના ૨૧ વર્ષ પૂરા થઈ રહ્યા હોય આ પ્રસંગે વાડીના ટ્રસ્‍ટીઓનું સન્‍માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે સમાજના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડા નોટબુક વિતરણ તા.૧૫ને સોમવારે સવારે ૧૦ થી ૧ વાગ્‍યા સુધી ઉપરોકત સ્‍થળે રાખવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએ તેમની અસલ માર્કશીટ તથા તેની એક ઝેરોક્ષ નકલ સાથે રૂબરૂ હાજર રહેવા શ્રી રજપૂત (ખવાસ)  નૂતન યુવક મંડળ દ્વારા વિનંતી કરાઈ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભલાભાઈ બી. ચૌહાણ, પ્રમુખશ્રીના સફળ  માર્ગદર્શન હેઠળ  ટ્રસ્‍ટીઓ કાંતીભાઈ ટી. પરમાર, પ્રવિણભાઈ કે. રાઠોડ, વિનુભાઈ ગોહેલ, પ્રવિણભાઈ પરમાર, જેન્‍તીભાઈ જાદવ, દિનેશભાઈ ચૌહાણ, નિતીનભાઈ કબર, અતુલભાઈ સોલંકી તથા અનિલભાઈ બારડ વગેરે જહેમત ઉઠાવે છે.

(3:45 pm IST)