Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

શિવમ ફાઉન્‍ડેશન દ્વારા નાટક મંચન

આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી અને સાંસ્‍કૃતિક વારસાની જાણવણી યોજના અંતર્ગત ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગર તરફથી મળેલ આર્થીક સહયોગથી શિવમ ફાઉન્‍ડેશન રાજકોટ દ્વારા સર ભગવતસિંહજી ટાઉન હોલ, ગોંડલ ખાતે કવિશ્રી રમેશ પારેખ લિખિત અને ગૌતમ દવે દિગ્‍દર્શીત દ્વીઅંકી નાટક ‘‘સુરજને પડછાયો હોય'' નું મંચન કરાયુ હતુ. જેમાં ભરત પરમાર, વર્ષા પરમાર, પાયલ રાઠોડ, દર્પણ લાઠીગરા, ચાર્મી રાજવીર, શાહરૂખ પઠાણ, દેવ્‍યાની જગડ, જયેશ પડિયા, જતિન જગડ, પ્રિતેશ પરમાર, ગુલામહુશેન અગવાનએ અભિનયના ઓજસ પાથર્યા હતા. સંગીત સંચાલન પ્રિવેશ પરમાર, પ્રકાશ રચના અને સંચાલન અમિત વાઘેલાએ સંભાળેલ.

(3:44 pm IST)