Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રાજકોટ લાઇવ રેડીયો ઉપર સતત બે દિવસ દેશભક્‍તિના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૩ : રાજકોટ લાઇવ રેડીયો (ફેસબુક રેડીયો ચેનલ) પર કાલે તા. ૧૪ ના રવિવારે સવારે ૧૧ કલાકે તેમજ તા. ૧૫ ના સોમવારે રાત્રે ૯ કલાકે એમ સતત બે દિવસ આઝાદી કા અમૃત મહોત્‍સવને અનુલક્ષીને દેશભક્‍તિના ગીતો આધારીત કાર્યક્રમ પ્રસારીત થશે. બન્ને કાર્યક્રમોની પ્રસ્‍તુતી દિનેશ બાલાસરા કરશે. દેશભરના શ્રોતા ભાઇ બહેનો રાષ્‍ટ્ર વિષે પોતાના મંતવ્‍યો, કવિતા, દેશભક્‍તિ ગીત જેવી આઇટેમો આ કાર્યક્રમમાં રજુ કરી શકશે.

(3:40 pm IST)