Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ઘંટેશ્વરમાં કવાર્ટરમાં સામાન રાખવા બાબતે મનસુખ અને તેની પત્નીનો પડોશી પર હુમલો

સુમીતા વાઘેલાની ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા.૧૩ : ઘંટેશ્વર પચ્ચીસ વારીયા કવાર્ટરમાં રહેતી મહિલા સાથે પાડોશી દંપતીએ ખાલી પડેલા કવાર્ટરમાં સામાન રાખવા બાબતે ઝઘડો કરી મારમારતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટરમાં રહેતા સુમીતાબેન ઉર્ફે સરીતા મનજીભાઇ વાઘેલા (ઉ.૪પ) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે બાજુના કવાર્ટરમાં રહેતી મનસુખ સોલંકી તથા તેની પત્ની ગંગા સોલંકી બંને બાજુમાં ખાલી પડેલા કવાર્ટરમાં લોખંડનો સામાન રાખતા હોઇ, તેથી તેને સામાન રાખવાની ના પાડતા બંનેએ ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ લાકડા વડે હુમલો કરી ઇજા કરી હતી.

આ અંગે ગાંધીગ્રામ પોલીસે મનસુખ સોલંકી અને તેની પત્ની ગંગા વિરૃધ્ધ ગુન્હો દાખલ કરી એ.એસ.આઇ. ઘેલુભાઇ શિયારે તપાસ હાથધરી છે.

(3:40 pm IST)