Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સેવા ક્ષેત્રના અગ્રણીઓનું સન્‍માન

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ દ્વારા તાજેતરમાં બજરંગ ટ્રસ્‍ટના કાર્યાલયે રૂબરૂ આવી સેવા તથા સહાય આપવા આવેલા સેવાભાવી અગ્રણીઓ આર. કે. આયુર્વેદ હોસ્‍પિટલના ડીરેકટર ડો. સી. એમ. વાઘાણી તથા ડે. ડીરેકટર ડો. મનોજ પાંડે, સેવા ક્ષેત્રના અગ્રણી વિવેકાનંદ વાળા સેવાભાવી અનુપમભાઇ દોશી, નાથાણી બ્‍લડ બેંકના સંચાલક ડો. કાન્‍તીભાઇ નાથાણી, રામબાણના તંત્રી તથા બજરંગ ટ્રસ્‍ટના લીગલ એડવાઇઝર અભિષેકભાઇ કકકડ દંપતી વિગેરેનો નાનો પણ ગૌરવપૂર્ણ સન્‍માન સમારંભ યોજવામાં આવેલ. અધ્‍યક્ષ સ્‍થાને જાણીતા આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઇ ભીમાણી તેમજ અતિથિવિશેષ તરીકે ભાવેશભાઇ વડેરા, કરવેરાના સલાહકાર ધવલભાઇ ઇશ્વરભાઇ ખખ્‍ખર, રાજુભાઇ બુધ્‍ધદેવ, ચંદુભાઇ ગોળવાળા, રોહીતભાઇ કારીયા, ધેર્યભાઇ રાજદેવ, ગોરધનભાઇ લાલસેતા, કિશોરભાઇ પારેખ, કે. ડી. કારીયા, મનુભાઇ ટાંક, દિનકરભાઇ રાજદેવ વગેરે દ્વારા ઉપરોકત તમામ અગ્રણીઓનું મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં આવેલ.

(3:34 pm IST)