Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્‍વામી સ્‍વરૂપાનંદજીએ ફિલ્‍ડ માર્શલના પોપટભાઈ પટેલના નિધન અંગે દુઃખ વ્‍યકત કર્યુ

રાજકોટઃ શંકરાચાર્યજી હાલમાં મધ્‍યપ્રદેશના પરમહંસી આશ્રમમાં ચાર્તુમાસ કરી રહ્યાં છે. અગ્રગણ્‍ય  ઉદ્યોગપતિ મહેશભાઈ પરસાણાએ શંકરાચાર્યજી સ્‍વામી સ્‍વરૂપાનંદજી સરસ્‍વતીજીને ટેલીફોનીક વાતચીતમાં પોપટભાઈ પટેલના નિધનના સમાચાર આપતા તેઓએ  પોપટભાઈ પટેલના ઉદ્યોગપતિ અને આધ્‍યાત્‍મિક ઉચ્‍ચાઈ ઘણી ઉંચી હતી. પોપટભાઈ પટેલ ફીલ્‍ડમાર્શલવાળા તેમના સાળા નામાંકિત ઉદ્યોગપતિ પરસાણા ફાઉન્‍ડ્રીવાળા ભુરાભાઈ પરસાણાના નિવાસસ્‍થાને શંકરાચાર્યજીના આર્શીવાદ મેળવ્‍યા હતા ત્‍યારની ફાઈલ તસ્‍વીર છે. તેમ મહેશભાઈ પરસાણા મો.૯૯૭૮૪ ૭૭૦૭૬ની યાદીમાં જણાવાયું છે.

(10:53 am IST)