Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

મંછાનગરમાં રીટા સોલંકીનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટઃ જુના માર્કેટ યાર્ડ પાછળ મંછાનગર-૬માં રહેતી રીટાબેન સુનિલભાઇ સોલંકી (ઉ.વ.૨૨) નામની દેવીપૂજક યુવતિએ સાંજે ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. ૧૦૮ના ઇએમટી તબિબે બનાવની જાણ કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ આર. ટી. મકવાણાએ બી-ડિવીઝન પોલીસ મથકમાં નોંધ કરાવી હતી. પીએસઆઇ પી. એ. ગોહિલે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)