Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ન્યુ શકિત સોસાયટી અને શકિત કોલોનીમાં બનાવ બેભાન હાલતમાં કિશોરભાઇ અને ઇકબાલભાઇએ દમ તોડ્યો

રાજકોટ તા. ૧૩: સંત કબીર રોડ પર ન્યુ શકિત સોસાયટી-૪માં રહેતાં કિશોરભાઇ રામજીભાઇ રાણેસરા (ઉ.વ.૪૭) ગત તા. ૧ના રોજ અગાસીએથી પડી જતાંઇજા થતાં સારવાર માટે દાખલ થયા બાદ રજા અપાતાં ઘરે આરામ કરી રહ્યા હતાં. ગઇકાલે તેઓ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર બે ભાઇમાં નાના અને અપરિણિત હતાં. તેમને માનસિક તકલીફ હોવાનું સ્વજને જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં કિસાનપરા પાસે આલાભાઇના ભઠ્ઠા નજીક શકિત સોસાયટીમાં રહેતાં અને દાણાપીઠમાં એજન્સીની રિક્ષાનું ડ્રાઇવીંગ કરતાં ઇકબાલભાઇ નુરમહમદભાઇ કોચલીયા (ઉ.વ.૫૫)નેશ્વાસની તકલીફ હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. તેઓ ત્રણ ભાઇ અને ચાર બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્રી છે.

(3:11 pm IST)