Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

પાદરિયા હમણા ભાજપમાં આવ્યા છે એટલે તેને શિસ્તની ખબર નહિ હોય : ડી.કે.

મોતના આંકડા છુપાવતા હોવાનો આક્ષેપ ખોટો ગણાવતા ભાજપ પ્રમુખ

રાજકોટ, તા, ૧૩: જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ કે.પી.પાદરિયાના કોરોનાના આંકડા બાબતના આક્ષેપ અનેે તેનાથી ભાજપ  તથા સરકારની પ્રતિષ્ઠાને અસર બાબતના પ્રશ્નના જવાબમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયાએ જણાવેલ કે પાદરિયા હમણા જ ભાજપમાં આવ્યા છે એટલે એને પક્ષની શિસ્ત અને નિયમોની ખબર નહિ હોય. સરકાર કે જિલ્લાનું વહીવટી તંત્ર કોરોનાના મૃત્યુના આંકડા છુપાવે તે આક્ષેપ પાયાવિહોણો છે. ગામડા-ગામડા સુધી ભાજપનું સંગઠન વિસ્તરેલું છે. કયાંય મૃત્યુના આંકડા છુપાવાતા હોય તો તે સામે આવ્યા વગર રહે નહી.  સરકાર અને કોરોના યોધ્ધાઓ મહામારી સામે મક્કમ લડત આપે છે

(3:52 pm IST)