Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

પ્રભુચરણ સ્વામી અકિલાના આંગણેઃ કિરીટભાઇ ગણાત્રાને સવા લાખ તલના હાર સાથે આશીર્વાદ

રાજકોટઃ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટની સુરત શાખા (વેડરોડ) ના શ્રી પ્રભુચરણ સ્વામી (પ્રભુ સ્વામી) તથા શ્રી ગુણદર્શન સ્વામી આજે અકિલાના આંગણે પધારેલ. તેમણે અંદાજે સવા લાખ તલમાંથી બનેલો હાર અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને પહેરાવી સર્વાગી સુખમય જીવનના આશીર્વાદ પાઠવેલ. સફેદ અને કાળા તલને સોઇથી દોરામાં પરોવી ખુબ જ પરીશ્રમથી તૈયાર કરાયેલા હારમાં સંતોની અકિલા માટેની લાગણી મહેકી હતી.  સ્વામીજીએ અકિલા સાથેનો તેનો વર્ષોજુનો આત્મીય નાતો ભાવથી વર્ણવી અકિલા પરિવારને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે સંપ્રદાયના હરિભકત રૂગનાથભાઇ દલસાણિયા, પ્રવીણ કાનાબાર, અકિલા પરિવારના ડો. અનિલ દશાણી વગેરે ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(4:02 pm IST)