Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

દરજી સમાજ દ્વારા શ્રાવણ માસમાં રૂદ્રાભીષેકઃ રાંદલ માતાજીના ૧૦૮ લોટો ઉત્સવ

રાજકોટ,તા.૧૩: શ્રી રાજકોટ સેન્ટ્રલ યુવક મંડળ દરજી સમાજ દ્વારા આગામી શ્રાવણ માસ દિવસો દરમ્યાન રામનાથ પરા વાડી ખાતે બીરાજમાન ગોકલેશ્વર મહાદેવનો દરરોજ રાત્રે મહારૂદ્ર અભીષેકનું આયોજન કરવામાં આવેલ છે. સાથે- સાથે ૧૧ ઓગષ્ટને રવિવારના રોજ શ્રી રાંદલ માં ના ૧૦૮ લોટા ૫૧ માંડવીનો પણ કાર્યક્રમ રાખેલ છે.  આ કાર્યક્રમ સાથે ૭૧૪ કુવારીકા કન્યા પ્રસાદી લેશે. દરજી સમાજના ભાઈઓ- બહેનોને રાજકોટ સેન્ટ્રલ યુવક મંડળ દ્વારા જાહેર આમંત્રણ અપાયું છે. રાંદલ માં ના લોટા તેમજ મહાદેવના રૂદ્ર અભીષેકમાં નામ નોંધણી માટે ૮/૧૩, જયરાજ પ્લોટ, જંગબારી નિવાસ, હરીશભાઈ જંગબારી મો.૯૮૨૫૪ ૮૦૧૩૬, દિવ્યેશભાઈ મકવાણા મો.૮૭૫૮૫ ૫૬૭૫૪, અશોકભાઈ પરમાર મો.૯૨૨૭૪ ૦૧૭૭૦નો સંપર્ક કરવો.

તસ્વીરમાં મંડળના પ્રમુખ ઉમેશકુમાર જોષી, પાર્થભાઈ પીઠડીયા (એડવોકેટ), યોગેશભાઈ પીઠડીયા, દિવ્યેશભાઈ મકવાણા, નીતિનભાઈ ગોહેલ, કમલેશભાઈ ચૌહાણ, નીખીલભાઈ પીઠડીયા, પરેશભાઈ ચૌહાણ, કેતન સરવૈયા, નટુભાઈ પીઠડીયા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:57 pm IST)