Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

માધાપર ચોકડી SMVS સ્વા. મંદિર ખાતે કાલે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનનો ગુરૂપૂર્ણિમા ઉત્સવઃ હજારો હરિભકતો ઉમટી પડશે

પૂ. સત્સંકલ્પદાસજી સ્વામી દિવ્યવાણીનો લાભ આપશેઃ ભવ્ય સામૈયુ તથા મહાપ્રસાદ

રાજકોટ તા. ૧૩ :.. આપણને સૌને ગુરૂવર્ય પ.પૂ. બાપજી જવા મહાન સદ્ગુરૂ મળી ગયા છે એ ગુરૂજીને રાજી કરવા માટેનો સોનેરી અવસર તા. ૧૪ જૂલાઇ ર૦૧૯ ને રવિવારે સવારે ૮.૩૦ થી બપોરના ૧ર.૩૦ વાગ્યા સુધી એસએમવીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર માધાપર ચોકડી ખાતે ઉજવાશે.

દેશ-વિદેશમાં લાખો મુમુક્ષુઓ જેમની દિવ્યવાણીનો લાભ લેવા આતુરતાથી રાહ જોતા હોય છે એવા દિવ્ય સત્પુરૂષ પ.પૂ. સત્સંકલ્પદાસજી સ્વામીશ્રી આ દિવ્ય અવસરે દિવ્યવાણીનો લાભ આપી અનેક મુમુક્ષુને સુખિયા કરશે.

શ્રીજી મહારાજનો વ્હાલો સમાજ એટલે કે શ્રી સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ ખાતે ઉજવવાનું નકકી થયેલ. કહેવાય છે કે ૧૧ પુનમ શિષ્યની જયારે ૧ પુનમ ગુરૂની અને તે પૂનમનું ખરા અર્થમાં દિવ્ય સત્પુરૂષ ગુરૂવર્ય પ.પૂ. બાપજી કે જેના રોમે-રોમમાં શ્રીજીમહારાજ સિવાય કશુ જ નથી અને તેના જોગમાં આવનારને પણ શ્રીજી મહારાજની દ્રઢ ઉપાસના કરાવી અનાદીમુકતની સ્થિતિ પમાડવાનો એકમાત્ર આગ્રહ રહેલ છે તેવા દિવ્ય સત્પુરૂષના પૂજનનો લાભ રાજકોટ ખાતે મળી રહેલો છે ત્યારે રાજકોટ ધર્મપ્રિય સત્સંગી સમાજને લાભ લેવા પધારવા નિમંત્રણ પાઠવાયું છે.

ગુરૂપૂર્ણિમા ના દિવસે રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છના તમામ જીલ્લા-તાલુકામાંથી હજજારો હરિભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

ગુરૂપુર્ણીમા ઉત્સવ કાર્યક્રમ રૂપરેખા મુજબ સવારે ૮.૩૦ થી ૯.૪પ ગુરૂવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીનું સામૈયું માધાપર ગામથી એસએમવીએસ તથા ૯.૪પ થી ૧ર.૩૦ કિર્તન ભકિત, પ.પૂ. સ્વામી શ્રીની દિવ્યવાણી, ગુ.પ.પૂ. બાપજીના દિવ્ય આશીર્વાદ, મહાપ્રસાદ, મંદિર મંડપ હોલ ખાતે છે.

પૂ. ભકત સ્વામી, પૂ. નિર્માન સ્વામી, પૂ. મૂર્તિ સ્વામી, પૂ. અદ્ભુત સ્વામી, પૂ. નિર્મળ સ્વામી, પૂ. સર્વસ્વ સ્વામી, પૂ. કૃપા સ્વામી, પૂ. ગુણનીધિ સ્વામી, પૂ. ભજન સ્વામી, પૂ. નિર્લોભ સ્વામી, પૂ. શ્રવણ સ્વામી, પૂ. સર્વેશ્વર સ્વામી, પૂ. ધર્મભુષણ સ્વામી, પૂ. વર્તન સ્વામી, સૌ હરિભકતોને સૌ સંતો તથા રાજુભાઇ સોની, દિનેશભાઇ જેઠવા, ચંદુભાઇ પટેલ, ચંદુભાઇ સુરેજા, પ્રકાશભાઇ સેજપાલ, હાર્દિકભાઇ કોટક, અરૂણભાઇ નિર્મળ, રજનીભાઇ પ્રજાપતિ, મુકેશભાઇ પ્રજાપતિ, હેતલભાઇ કોટક, યોગીરાજસિંહ જાડેજા, દામજીભાઇ શિંગાળા, જીજ્ઞેશભાઇ પટેલ, ભુપતભાઇ રાદડિયા, બાવનજીભાઇ જીણજા, જયેશભાઇ સોલંકી, નીરવભાઇ કાનાબાર, પ્રદ્યુમનભાઇ કાનાબાર, રમેશભાઇ રૂડકીયા, દિગ્વીજયસિંહ ગોહીલ, રમેશભાઇ પીપળીયા, દિલીપભાઇ ઠક્કર, સૌરભભાઇ વ્યાસ, જયંતીભાઇ વિડજા, અશોકભાઇ સુચક, વિનોદભાઇ ઝાલા, મેણંદભાઇ આહીર, રાકેશભાઇ દેસાઇ, કેતનભાઇ સોની, હરિભાઇ ચીકાણી, મહેશભાઇ ચીકાણી, હિતેશભાઇ સુરેજા, ચિરાગભાઇ રૂડકીયા, સુરેશભાઇ સરધારા, તથા એસએમવાયએસ સત્સંગ મંડળે આમંત્રણ પાઠવ્યું છે.

(3:57 pm IST)