Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રાજકોટ જિલ્લાના ૮ ગામો માટે આજી ર-ડેમમાંથી પાણી છોડાશે

કોઠારીયા, ગઢડા, બાધી, નારણકા, ઉકરડા વગેરેને લાભ મળશે

ગાંધીનગર, તા.૧૩ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ આજી-ર ડેમમાંથી ૭૦ એમ સી એફટી પાણી રાજકોટ જિલ્લાના ૮ ગામોને પ્રત્યક્ષ કે પરોક્ષ સિંચાઇ ઘાસચારા અને પશુધન નિભાવ તેમજ પશુ પક્ષીના પીવાના ઉપયોગ માટે નદીમાં છોડવાનો સંવેદનના સ્પર્શી નિર્ણયો કર્યો છે.  શ્રી વિજયભાઇ રૂપાણીના આ સંવેદનશીલ અભિગમને પરિણામે આજી -ર ડેમના નીચાણ વાસમાં આવેલા ૮ ગામો અડબાલકા, ગઢડા, બાધી, નારણકા, ખંઢેરી, ઉકરડા, દહીંસરા, કોઠારીયાના અંદાજે ર૦૦૦ એકર વિસ્તારને લાભ થવાનો છે.

(11:37 am IST)