Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ચોકની લાઇટો કેમ બંધ છે? કહી કુચીયાદળના સરપંચ પર પથ્થરમારોઃ તલવાર બતાવી ધમકી

મનોજ ડાભી, રવિ પાદરીયા અને જ્યંતિ મકવાણા સામે સરપંચ હરેશભાઇ આસોદરીયાની ફરિયાદ

રાજકોટ તા. ૧૩: કુચીયાદળના સરપંચ પર પર રાત્રીના ગામના જ ત્રણ શખ્સોએ ગામના ચોકની લાઇટો બંધ હોવા બાબતે ડખ્ખો કરી પથ્થરમારો કરી તલવાર બતાવી મારી નાંખવાની ધમકી આપતાં વાત પોલીસ સુધી પહોંચતા ગુનો નોંધાયો છે

કુવાડવા રોડ પોલીસે કુચીયાદળના સરપંચ પટેલ હરેશભાઇ ડાયાભાઇ આસોદરીયા (ઉ.૩૯)ની ફરિયાદ પરથી કુચીયાદળના જ મનોજ કુવરજીભાઇ ડાભી, રવિ દિનેશભાઇ પાદરીયા અને જયંતિ મકવાણા સામે આઇપીસી ૩૩૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

સરપંચ હરેશભાઇના કહેવા મુજબ પોતે રાત્રે ઘર પાસે હતાં ત્યારે ગામના મનોજ ડાભી, રવિ પાદરીયા અને જયંતિ મકવાણા આવ્યા હતાં અને 'ચોકની લાઇટો બંધ કેમ છે, ચાલુ કરાવો' તેમ કહી ઝઘડો કરી ગાળો દેતાં સરપંચે ગાળો બોલવાની ના પાડતાં તેના પર પથ્થરમારો કર્યો હતો અને તલવાર બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી. એએસઆઇ ધીરૂભાઇ કે. ડાંગર અને હેમતભાઇ ધરજીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)