Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ખીરસરા (રણમલજી) જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખપદે નરેન્દ્રસિંહ જાડેજાની વરણી

 ખીરસરા, તા., ૧રઃ લોધીકા તાલુકાના ખીરસરા ગામની જુથ સેવા સહકારી મંડળી જે રાજકોટ જીલ્લામાં આગવુ સ્થાન ધરાવે છે જેમાં છ ગામના ખેડુતો સભાસદો છે  જેમાં ખીરસરા મેટોડા વાજડી (વડ) રાતૈયા બાલાસર તેમજ હરીપર (પાળ) ગામના ખેડુતો સભાસદ છે.

જેના જયેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ હતા તેમનું દુઃખદ અવસાન થતા લાખાભાઇ સાગઠીયાને પ્રમુખ બનાવવામાં આવેલ. આગળના પ્રમુખની પાંચ વર્ષની મુદત પુર્ણ થતા નવી વ્યવસ્થાપક કમીટી બનાવવામાં આવેલ જેમાં કમીટીના સભ્યો દ્વારા નરેન્દ્રસિંહ જાડેજાને સર્વાઅનુમતીથી ખીરસરા (રણ) જુથ  સહકારી મંડળીના પ્રમુખ તરીકે ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં રાતૈયાના ધર્મેન્દ્રસિંહ જાડેજા લાખાભાઇ સાગઠીયા, નાથાભાઇ ગાજીપરા, મોહનભાઇ સુદાણી, દલસુખભાઇ પીપળીયા, પ્રવિણસિંહ ડાભી, ગોવુભા ગોહીલ, રતુભા ડાભી, સવજીભાઇ, મેરામભાઇ મંત્રા, ભગવતસિંહ જાડેજા, સવિતાબેન વેકરીયા, જયોતીબેન જારીયા, દિલીપભાઇ કુંગશીયા તેમજ તમામ ૧૪ સભ્યો દ્વારા નરેન્દ્રસિંહ જાડેજાને પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.

(3:45 pm IST)