Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાવાઝોડામાં મદદની જરૂર હોય તો સાદ પાડજોઃ નાગદાનભાઇ

રાજકોટ, તા., ૧રઃ જિલ્લા પંચાયતના પુર્વ કારોબારી અધ્યક્ષ નાગદાનભાઇ ચાવડાએ લોકોને રાજકોટ જિલ્લામાં વરસાદ વાવાઝોડાની અસરથી કોઇ મદદની જરૂર હોય તો સાદ પાડવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે હું અને મારા સાથીદારો માનવ સેવાને પ્રભુ સેવા ગણીએ છીએ. વાવાઝોડા કે વરસાદથી જિલ્લાનો કોઇ વિસ્તાર અસરગ્રસ્ત બને અને બચાવ-રાહત માટે જરૂર પડે તો અમારો સંપર્ક (મો. ૯૮રપર ૯૩રપ૮)  કરી શકે છે. વ્યકિત, સંસ્થા અથવા સરકારના માધ્યમથી સંકલન કરી સહયોગ આપવા પુરા પ્રયાસો કરશું.

(3:44 pm IST)