Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

પડધરીના મેટોડાની ખેતીની જમીનમાં મદદનીશ કલેકટરે સ્ટે રદ કરી રેવન્યુ નોંધો અંગેની અપીલ નામંજુર કરી

વારસાઇ હક્ક મુજબ હિસ્સો મળી ગયેલ હોવા છતાં વધુ રૂપીયા પડાવવા પુત્રીએ તકરાર ઉભી કરી'તીઃ એડવોકેટ દિપકકુમાર ડી.મહેતા અને રાજેન્દ્રસિંહ એચ.ઝાલાની દલીલો માન્ય રખાઇ

રાજકોટ, તા., ૧રઃ પડધરી તાલુકાના મેટોડા ગામની ખેતીની જમીનમાં વારસાઇ હક્ક મુજબ હિસ્સો મળી ગયેલ હોવા છતા વધુ રૂપીયા પડાવવા ખોટી તકરાર ઉભી કરી પુત્રી હંસાબેન રેન્વુ નોંધો રદ કરવાની કરેલ અપીલને મદદનીશ કલેકટરે અપીલ નામંજુર કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસની વિગત એવી છે કે પડધરીના મેટોડા ગામે ધનીબેન કાનાભાઇ વા/ઓ. ડાયાભાઇ ધનાભાઇના સ્વતંત્ર નામેખેતીની જમીન હે.આરે.૧-૬૧-૯૪ ચો.મી.આવેલ. આ જમીન તેઓએ સોમાભાઇ ભાણાભાઇ મકવાણાને રજી. દસ્તાવેજથી વેચાણ આપેલ હતી. ત્યાર બાદ ધનીબેનના પુત્રી  અરજદાર હંસાબેનને રાજકોટ મદદનીશ કલેકટર ગ્રામ્ય કોર્ટમાં અપીલ કેસ દાખલ કરી એવી દાદ માંગેલ કે સદરહું ખેતી જમીનમા઼ અમારો વારસાઇ હક્ક આવેલ છે ેવી તકરાર ઉભી કરી ૧/૬ો  હિસ્સો છે તેવો કામ ચલાઉ મનાઇ હુકમ મેળવવા તથા પડધરી મામલતદારે પ્રમાણીત કરેલ રેવન્યુ એન્ટ્રી રદ કરવા તેમજ સામાવાળા તેની માતા ધનીબેન તેમજ જમીન ખરીદનાર સોમાભાઇ સદરહું ખેતી જમીનની સ્થળ સ્થિતિમાં ફેરફાર કરે નહી કે કરાવે નહી અને યથાવત પરિસ્થિતિ જાળવી રાખે તેવી અપીલ કેસ ચાલતા સુધીનો કામચલાઉ મનાઇ હુકમ આપવા માંગણી કરતા તે માન્ય રખાઇ હતી.

આ અપીલ કેસની સુનવણી થતાં સામાવાળા નં. ૧ એટલે કે જમીન વેચનાર ધનીબેન વતી તેમના એડવોકેટ દિલીપ એન.જોશીએ રજુઆત કરેલ કે, સદરહું જમીનમાં અરજદારએ વારસાઇ હક્ક માંગેલ છે. પરંતુ અરજદાર-વાંધેદારને વારસાઇ હક્કમુજબ થતી રકમ રોકડેથી ચુકવી આપેલ છે છતાં વધુ રકમ પડાવવા અરજદાર કાવાદાવા કરી રહેલ છે. જયારે સામાવાળા નં. ૪ એટલે કે ખેતી જમીન ખરીદનાર સોમાભાઇ વતી એડવોકેટ દિપકકુમાર ડી.મહેતા તથા રાજેન્દ્રસિંહ એચ.ઝાલાએ એવી રજુઆત કરેલ કે અરજદારનું નામ રેવન્યુ રેકર્ડમાં નથી. તેમજ ભુતકાળમાં અરજદારએ સદરહું મિલ્કત માંહેનો હક્ક, હિત, હિસ્સો સ્વીકારી લીધેલ છે અને અન્ય વારસદારોએ સોગંદનામા પર જાહેર કરેલ છેે. તેમજ  જમીન ખરીદનાર બોનાફાઇડ પરચેઝર હોય અને ખરીદનારે કાયદેસરનો અવેજ ચુકવી જમીન ખરીદ કરેલ છે. તેમજ હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકી દલીલ કરતા મદદનીશ કલેકટરએ આ દલીલો માન્ય રાખી અરજદારનો કામ ચલાઉ મનાઇ હુકમ રદ કરવાનો હુકમ રદ કરવાનો હુકમ કર્યો હતો. તેમજ રેવન્યુ નોંધો રદ કરવાની અપીલ નામંજુર કરી હતી.

આ કેસમાં જમીન વેચનાર વતી એડવોકેટ દિલીપભાઇ જોશી તથા ખેતી જમીન ખરીદનાર વતી સિવિલ અને રેવન્યુ ક્ષેત્રના જાણકાર એડવોકેટ દિપકકુમાર ડી.મેહતા તથા રાજેન્દ્રસિંહ એચ.ઝાલા રોકાયેલ હતા.

(3:36 pm IST)