Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ભૂપેન્‍દ્રભાઇનું એરપોર્ટ ખાતે શાનદાર સ્‍વાગત : પારેવડામાં મકાનો - જમીન - સનદ અર્પણ : ૨૯ પરિવારને ગેસ સિલિન્‍ડર અપાયા

૩૦૦થી વધુ લાભાર્થીઓને ૪૦ ચો.મી. જમીનની ફાળવણીના હુકમો : પીવાના પાણીની પાઇપ લાઇનનું લોકાર્પણ : જિલ્લા પંચાયત દ્વારા વસાવાયેલ ૬૦ વેસ્‍ટ કલેકશન ઇ-રીક્ષા તથા આટકોટમાં ૧૬ અને મવડીમાં ૪૦ પોલીસ આવાસનું પણ લોકાર્પણ : ૬૫૦ આંગણવાડીઓમાં આર.ઓ. સિસ્‍ટમ તથા ૨૦૦ સ્‍કૂલમાં મુકાયેલ સેનેટરી પેડ વેન્‍ડીંગ મશીનનું લોકાર્પણ

રાજકોટ તા. ૧૩ :  રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ આજે સવારે ૯-૩૦ વાગ્‍યે ખાસ વિમાન મારફત રાજકોટ આવી પહોંચતા તેમનું રાજકોટના મેયર - અન્‍ય મહાનુભાવો - કલેકટર તથા અધિકારીઓ દ્વારા શાનદાર સ્‍વાગત કરાયું હતું.

તેઓ રાજકોટ એરપોર્ટથી સીધા પારેવડા રવાના થયા હતા અને ત્‍યાં યોજાયેલ તમામ કાર્યક્રમમાં હાજરી આપી વિચરતી વિમુકત જાતિના લોકોને મકાનો-પ્‍લોટ-સનદ-ગેસ સિલીન્‍ડર-પીવાના પાણી-વિના મૂલ્‍યે વિજ કનેકશન સહિતની બાબતોનું લોકાર્પણ કર્યું હતું.

આ ઉપરાંત ૩૦૦થી વધુ લાભાર્થીઓને ૪૦ ચો.મી. જમીનની ફાળવણીના હુકમો એનાયત તો ઉજજવલ યોજનામાં ર૯ને ગેસ સિલીન્‍ડરની ફાળવણી, પીજીવીસીએલ દ્વારા વિવિધ યોજના હેઠળ વિના મૂલ્‍યે વીજ

 

 

 

કનેકશન ૬પ મકાનોમાં ફાળવી દીધા છે, તો પીવાના પાણી માટે પાણી પુરવઠા બોર્ડે માત્ર એક અઠવાડિયામાં ઘરે-ઘરે ૬પ મકાનોમાં પીવાના પાણી માટે પાઇપ લાઇન પણ પહોંચતી કરી છે.

વગડામાંથી વહાલપની વસાહત કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ઉપરાંત શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, સામાજીક ન્‍યાય મંત્રીશ્રી પ્રદિપ પરમાર, પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, વાહન વ્‍યવહાર મંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી, મંત્રીશ્રી આર. સી. મકવાણા તથા આગેવાનો-ધારાસભ્‍યો-સાંસદો સર્વશ્રી ભૂપતભાઇ બોદર, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, રમેશભાઇ ધડુક, ગોવિંદભાઇ પટેલ, જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, લાખાભાઇ સાગઠીયા, ગીતાબા જાડેજા, લલીતભાઇ વસોયા, મોહમંદ જાવેદ પીરઝાદા, લલીતભાઇ કગથરા, રૂત્‍વીક મકવાણા વિગેરે હાજર રહ્યા છે.

ગુજરાત સરકાર, જિલ્લા વહીવટી તંત્ર તથા વિચરતા સમુદાય સમર્થન મંચના સંયુકત પ્રયાસોથી વિચરતી જાતિના લોકોને ૬પ મકાનોની સોંપણી કરવામાં આવી રહી છે, જયારે અન્‍ય ૧૦૦ જેટલા મકાનોના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ તમામ મકાનો ૪૦ ચોરસ મીટર જમીન પર બાંધવામાં આવ્‍યા છે, ૧૯ પ્‍લોટ ધારકોને સનદ ફાળવણી કરવામાં આવશે તો ૩૦૦ થી વધુ લાભાર્થીઓને ૪૦ ચોરસ મીટરના પ્‍લોટની જમીનના ફાળવણીના હુકમો એનાયત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત ઉજજવલ ર.૦ યોજના અંતર્ગત ર૯ લાભાર્થીઓને ગેસ સીલીન્‍ડરની ફાળવણી કરવામાં આવી હતી.

રાજય સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય યોજના અન્‍વયે આવાસ બનાવવા માટે રૂ. ૧ લાખ ર૦ હજારની સહાય આપવામાં આવી છે. આ તમામ મકાનોને પી.જી.વી.સી.એલ.ના સહયોગથી વિવિધ યોજના અન્‍વયે વિના મૂલ્‍યે વીજ કનેકશન્‍સ તાત્‍કાલિક ધોરણે આપવામાં આવ્‍યા છે. માત્ર એકજ અઠવાડિયાના ટૂંકા ગાળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ મકાનોમાં પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં આવ્‍યું છે.

આ તમામ મકાનોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ કનેકિટવિટી આપવામાં આવી છે, જેના ભાગરૂપે તમામ મકાનોના આંગણા સુધી પાકકા રસ્‍તા બનાવવામાં આવ્‍યા છે.

વિચરતી જાતિના સમુદાયના નાગરિકો પાસે ઓળખ અંગેના કોઇપણ પ્રકારના પુરાવા સ્‍વાભાવિક રીતે જ  નથી હોતા આવા સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને રાશનકાર્ડ, ઇલેકશન કાર્ડ વગેરેની ફાળવણી કરવામાં આવી છે.

રાજકોટમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યા બાદરાજકોટમનપામાં મહત્‍વની બેઠક પણ યોજી હતી, જેમાં કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જયારે બપોરે કલેક્‍ટર કચેરીમાં સાંસદ-ધારાસભ્‍યો-અધિકારીઓ સાથે બેઠક કરશે.જેમાંરાજકોટશહેર-જિલ્લાના વિકાસ કામોની માહિતી મેળવશે. તો સાંજે રાજકોટના જેમ્‍સ એન્‍ડ જવેલરી કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

વિકાસના કાર્યોનું

લોકાર્પણ કરશે

વિચરતી-વિમુક્‍ત જાતિ માટે નિર્માણ કરાયેલા ૬૫ મકાનોના લોકાર્પણની સાથે ૪૦-૪૦ મીટરના ૩૦૦ પ્‍લોટની સનદનું પણ લાભાથીઓને વિતરણ કરાયું હતું તેમજ ૬૫ મકાનોના લાભાથીઓને ઉજજવલા યોજના હેઠળ ગેસ કનેકશન પણ અપાશે. આ ઉપરાંત ૧૫માં નાણાપંચની ગ્રાંટમાંથી ૮૯.૪૦ લાખના ખર્ચેરાજકોટજિલ્લાની ૬૫૦ આંગણવાડીઓમાં મુકાયેલ શુધ્‍ધ પાણી માટેની આરઓ સીસ્‍ટમ તેમજ ૨૦૦ શાળાઓમાં અડધા કરોડના ખર્ચે મુકાયેલા સેનેટરી પેડ વેન્‍ડીંગ મશીનનું લોકાર્પણ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

ગામો માટે પણ વિકાસના

કાર્યોનું લોકાર્પણ

ᅠજિલ્લા પંચાયત દ્વારા રાજકોટ જિલ્લાના ગામડાઓ માટે ૧.૨૦ કરોડના ખર્ચે વસાવાયેલ ૬૦ વેસ્‍ટ કલેકશન ઇ-રીક્ષા તેમજ આટકોટમાં ૧૬ અને મવડીમાં ૪૦ નિર્માણ કરાયેલ પોલીસ આવાસનું લોકાર્પણ પણ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના હસ્‍તે કરવામાં આવનાર છે.

(11:52 am IST)