Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજકોટમાં કાલથી ત્રણ દિવસ ૪૫ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે વેક્સીનેસન બંધ રહેશે: તા. ૧૭ થી રાબેતામુજબ વેક્સીનેસન ચાલુ રહેશે: મ.ન.પા. તંત્રની સતાવાર જાહેરાત

રાજકોટ : શહેરમાં ચાલી રહેલી વેકસીનેસનની કામગીરી અંતર્ગત તા. ૧૪ થી તા. ૧૬ સુધી (ત્રણ દિવસ માટે) ૪૫ વર્ષથી મોટી ઉંમરના નાગરિકો માટે વેકસીનેસન બંધ રાખવામાં આવશે.

૪૫ થી મોટી ઉંમરના લોકોને મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે રસી આપવામાં આવે છે જે આવતીકાલથી ત્રણ દિવસ બંધ રહેશે તેમજ અન્ય ૧૮ થી ૪૪ વર્ષના લોકોનું વેકસીનેસન રાબેતામુજબ ચાલુ જ છે. 

તા. ૧૭થી મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૫ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે વેકસીનેસન રાબેતામુજબ ચાલુ રહેશે.

(8:09 pm IST)