Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

અકાલી હિન્દુ સેના દ્વારા મહારકત કેમ્પ :

હાલ કોરોના એ અજગર ભરડો લીધો છે સમગ્ર માનવ જાત માં હાહાકાર મચાવ્યો છે ત્યારે થેલેસેમીયા ગ્રસ્ત દર્દી માટે રકત ની ત્રીવ અછત સર્જાય છે, આવા સમયે થેલેસેમિયાના તેમજ કિડનીના દર્દીઓ ને ફ્રી માં બ્લડ મળી રહે તેં ઉદેશ થી વેંકસીનેશન પેહલા લોકો રકતદાન કરે તેં શુભ ઉદેશથી અકાલી હિન્દૂ સેના દ્વારા  રકતદાન કેમ્પનું પુરુષાર્થ મંદિર કોઠારીયા રોડ ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં ૧૩૬ રકતબોટલ એકત્ર થઇ હતી. આ આયોજન મા અકાલી હિન્દૂ સેના દ્રારા કોવિડ ગાઈડ લાઇન નું ચુસ્તપણે પાલન કરાયું હતુ  આવેલ રકતદાતા ઓને ભેટ તેમજ માસ્ક નું વિતરણ પણ કરાયું હતુ, સંગઠનના કાર્યકર્તા ઓ એ આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(3:18 pm IST)