Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કાલે પરશુરામ જયંતીઃ ઘરે-ઘરે થશે પૂજા અર્ચના

સૌરાષ્ટ્રભરમાં શોભાયાત્રા સહીતના કાર્યક્રમો રદઃ સાદગીથી ઉજવવા આગેવાનોની અપીલ

રાજકોટ, તા, ૧૩: સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષી, પ્રવકતા જયંતભાઇ ઠાકર સમગ્ર મીડીયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષીએ સંયુકત યાદીમાં જણાવ્યું છે કે જગતનાં આરાધ્ય દેવ વિષ્ણુ ભગવાનના છઠઠ અવતાર એવા ભગવાન પરશુરામજીની જન્મ જયંતીની ઉજવણી  સૌરાષ્ટ્રભરમાં ભુદેવો દ્વારા ધામધુમથી કરવામાં આવતી હતી.

પરંતુ વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોનાના સંક્રમણના કારણે આવા જાહેર કાર્યક્રમો ન યોજવા નિર્ણય લેવાયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છના ભુદેવોને આવતીકાલે એટલે કે તા.૧૪ ના શુક્રવારે ભગવાન પરશુરામજીની જન્મ જયંતી હોય વર્તમાન, પરિસ્થિતીને ધ્યાનમાં રાખી ઘરમાં જ સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે પુજન-અર્ચન કે સોશ્યલ મીડીયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર અને સાંજ ઘરની બાલ્કની અગાશીમાં દીવડા પ્રગટાવી ઘંટારવ સાથે ઉજવણી કરી આ પાવન પ્રસંગને યાદગાર બનાવવો.

તેમજ ઉપલેટા બ્રહ્મસમાજ અગ્રણી જયેશભાઇ ત્રિવેદી, જેતપુર પરશુરામ સેનાના હિતેષભાઇ જોષી, અશોક ઠાકર, અલ્પેશભાઇ વ્યાસ, ગોંડલ બ્રહ્મસમાજ અગ્રણી જીતુભાઇ આચાર્ય, સુરેશભાઇ રાવલ, વડીયા બ્રહ્મસમાજ અગ્રણી અશ્વીનભાઇ મહેતા, પ્રાચી બ્રહ્મસમાજના પ્રમુખ ગીરીશભાઇ પંડયા, પ્રવિણભાઇ જોષી (ટોબરા), વાંકાનેર બ્રહ્મસમાજ અગ્રણી અમીતભાઇ મઢવી, મોરબી બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઇ પંડયા, જામનગર બ્રહ્મસમાજ અગ્રણી ત્રિવેદીભાઇ, જુનાગઢ બ્રહ્મસમાજ મહીલા પાંખ અગ્રણી કનકબેન વ્યાસ, મનીષાબેન દવે, કોડીનાર બ્રહ્મસમાજ અગ્રણી સંજયભાઇ જોષી, વેરાવળ બ્રહ્મસમાજ અગ્રણી મીલનભાઇ જોષી, અમરેલીના બ્રહ્મસમાજના અગ્રણી ઉદયનભાઇ ત્રિવેદી, રશ્મીનભાઇ ત્રિવેદી, દાડીયા ગામના દાળેશ્વર ટ્રસ્ટના પ્રમુખ અનંતભાઇ ભટ્ટ, બગસરા પરશુરામ ધામના મુકેશભાઇ જોષી, જેતપુર બ્રહ્મઅગ્રણી મુકેશભાઇ વ્યાસ, સુરેન્દ્રનગરના ફાલ્ગુનભાઇ આચાર્ય સહીતના સાથે બ્રહ્મસમાજના અગ્રણીઓએ અપીલ કરેલ છે.

(12:57 pm IST)