Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

રાજકોટના ભાયાસરમાં પાણીની સમસ્યા દુર કરવા કુંવરજીભાઇ બાવળીયાની ખાત્રી

જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોનાં સરપંચો-આગેવાનો સાથે બેઠકો

રાજકોટ, તા.૧૩ :  રાજકોટ તાલુકાના ભાયાસર ખાતે કુંવરજીભાઇ બાવળીયા દ્વારા સરપંચોની સાથે ચર્ચા કરવામાં આવી હતી અને વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરવાની તેઓએ ખાતરી આપી હતી.

લોકડાઉનના કારણે સરપંચો પાણીના પ્રશ્ન માટે સૌ ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. શહેર કરતા ગ્રામ્ય પંથકમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થવાની ભીતિ સર્જાઇ હતી.

પરંતુ લોકડાઉનને લીધે સરપંચો પોતાની વેદના જણાવી શકતા નહિ હોવાથી ખુદ કુંવરજીભાઇ બાવળીયાએ જુદા જુદા ગામના સરપંચો સાથે બેઠક કરવાનો નિર્ણય કર્યો હતો અને તમામને બોલાવી પાણીની સમસ્યા અંગે ચર્ચા કરી હતી.

(2:59 pm IST)