Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જુનાગઢમાં પત્રકારો પર પોલીસ દમનના વિરોધમાં રાજકોટના પત્રકારોને કલેકટરને આવેદન

રાજકોટઃ જુનાગઢમાં રિપોર્ટિંગ માટે ગયેલા રાજકોટના પત્રકાર-કેમેરામેન પર પોલીસે લાઠીચાર્જ કર્યાની ઘટનામાં રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. રાજકોટથી પત્રકારો-કેમેરામેનોની ટીમે જુનાગઢ પહોંચી એસપી કચેરી ખાતે ધરણા શરૂ કર્યા છે. ઠેર-ઠેરથી પત્રકાર પર હુમલાની ઘટનાને વખોડી કાઢવામાં આવી છે. ત્યારે આજે બપોરે રાજકોટ શહેરના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાના પત્રકારો, કેમેરામેનો, ફોટોગ્રાફરોએ કલેકટર કચેરી ખાતે પહોંચી જુનાગઢની ઘટનાને વખોડી કાઢી જવાબદારો સામે પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

(4:02 pm IST)