Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જૂનાગઢમાં પત્રકારો પર હુમલાના વિરોધમાં અને દલિતોના વરઘોડાના વિવાદ મામલે રાજકોટમાં ભીમસેનાના દેખાવો

અત્યાચાર બંધ કરોના નારા સાથે સિવિલ હોસ્પિટલ ચોકમાં ચક્કાજામ

રાજકોટ :રાજ્યભરમાં જ્ઞાતિવાદને લઈને થઈ રહેલા અત્યાચારનો રાજકોટમાં વિરોધ દેખાઈ રહ્યો છે. રાજકોટમાં ભીમ સેના દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં સરકાર સામે ચક્કાજામ કરાયો છે. જુનાગઢમાં પત્રકારો પર થયેલા પોલીસના હુમલા બાદ ભીમસેના પત્રકારોના સમર્થનમાં આવી છે. તેમણે પત્રકારો પર અત્યાચાર બંધ કરોના નારા સાથે ચક્કાજામ કર્યો હતો

 . ભીમસેનાના કાર્યકર્તાઓએ રસ્તા પર સૂઈ જઈને પત્રકારો તથા દલિત વરઘોડાના વિવાદ મામલે પણ વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ 150 ફૂટ રિંગરોડ પર શહેરના નાગરિકોએ કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો છે. મીડિયાકર્મી પર થયેલા હુમલા અંગે શિવસેના અને સત્યમેવ જયતે ગ્રુપે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે.

(3:26 pm IST)