Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

પુનિતનગરમાં મણકાના દુઃખાવાથી કંટાળી આહિર વૃધ્ધા રાઇબેન ગોહેલનો આપઘાત

૭૦ વર્ષિય માડીએ અગ્નિસ્નાન કરી આયખું ટૂંકાવી લેતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૩: ગોંડલ રોડ પર પુનિતનગર-૬માં રહેતાં રાઇબેન ભાનુભાઇ ગોહેલ (ઉ.૭૦) નામના આહિર વૃધ્ધાએ મણકાનો દુઃખાવો સહન ન થતો હોવાથી સળગી જઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

રાઇબેનને રવિવારે વહેલી સવારે પાંચેક વાગ્યે શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સાંજે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે જાણ કરતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણે જરૂરી કાર્યવાહી કર હતી.

આપઘાત કરનાર રાઇબેનને સંતાનમાં એક પુત્ર છે. તેમને લાંબા સમયથી મણકાની બિમારી હોઇ દવા-સાવાર કરાવવા છતાં ફરક પડતો ન હોઇ કંટાળીને પગલું ભર્યાનું તપાસમાં બહાર આવ્યું હતું.

(11:46 am IST)