Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ગાંધીગ્રામ ધરમનગર અને અટીકાની ગોપવંદનામાં

બેભાન હાલતમાં દિલીપભાઇ સરવૈયા અને અમરીશભાઇ ચોૈહાણના મોત

રાજકોટ તા. ૧૩: બેભાન હાલતમાં બે વ્યકિતના મોત નિપજ્યા હતાં. ગાંધીગ્રામ ધરમનગરમાં રહેતાં કોળી દિલીપભાઇ મોહનભાઇ સરવૈયા (ઉ.૫૬) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. ભગીરથસિંહ જરૂરી કાર્યવાહી કરી હતી.  મૃતકને સંતાનમાં ચાર પુત્રી છે. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં અટીકા નહેરૂનગર ન્યુ ગોપવંદના સોસાયટી-૫માં રહેતાં લુહાર અમરશીભાઇ ભાયાભાઇ ચોૈહાણ (ઉ.૪૯) નામના પ્રોૈઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણેે જાણ કરતાં ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર લુહારી કામ કરતાં હતાં. તે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને સંતાનમાં બે પુત્ર તથા એક પુત્રી છે. સ્વજનના મોતથી પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(11:46 am IST)